![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/g.png)
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અખીયાણા અને માલવણ જવાના રસ્તે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ બનાવમાં 3 લોકોના મોત થયા છે. મૃતકોની ડેથ બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ છે. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યારે અન્ય એક યુવાનનું સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું છે. માલવણ સી.એન.જી પંપ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ ત્રણ યુવાનનાં મોત થયાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
મૃતકના નામ
(1 )વસીમખાન ગેડીયા
(2) જાવેદખાન ખેરવા ઉ.વ. 25
(3) હજરતશા રસુલશા ખેરવા ઉ.વ. 35