અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો થશે પ્રારંભ, 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફલાવર શો માં પહેલી વાર 15 લાખથી વધુ ફૂલ છોડનાં રોપા જોવાં મળશે.

ફ્લાવર શો માં 7 લાખથી વધુ 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફલાવર શો નું આયોજન છે. જેમાં સોમથી શુક્ર 50 રૂપિયા ટીકીટ જ્યારે શનિ રવિ 75 રૂપિયા રહેશે. સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે.

આ વર્ષે 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે. અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શો લાખો લોકો ઉમટી પડે છે. શનિવારથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શૉનો પ્રારંભ થશે. ફલાવર શો માં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે. ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.