અમદાવાદથી સ્પાઇસજેટની પાંચ ફ્લાઈટના પ્રસ્થાનો 3 થી ૭ કલાક મોડા પડતાં મુસાફરોને ભારે હાલાકી થઈ

ગુજરાત
ગુજરાત

અમદાવાદથી સ્પાઇસજેટની પાંચ ફ્લાઈટના પ્રસ્થાનો ત્રણથી સાત કલાક મોડા પડ્તા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઈન્સની દુબઈ જતી ફ્લાઈટ સાત કલાક મોડી પડી હતી, જ્યારે દિલ્હી, અયોધ્યા અને ગોવા માટે ડોમેસ્ટિક ઓપરેશન પણ મોડું થયું હતું.

સ્પાઈસ જેટ અમદાવાદથી દિલ્હીની બે દૈનિક ફ્લાઈટનું સંચાલન કરે છે, જેમાંથી એક ત્રણ કલાક અને બીજી સાડા છ કલાક મોડી પડી હતી. અયોધ્યા અને ગોવાની ફ્લાઈટ પણ ઓછામાં ઓછા સાત કલાક મોડી પડી હતી. આવી જ સ્થિતિ આવી રહેલી ફ્લાઇટ્સની પણ હતી. “ગોવા-અમદાવાદ સ્પાઈસ જેટની ફ્લાઈટ, સવારે 10.35 વાગ્યે લેન્ડ થવાની હતી, સાંજે 5.19 વાગ્યે આવી. એ જ રીતે દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ સવારે 11.45 વાગ્યે અહીં આવવાની હતી, જે સાંજે 6 વાગ્યે આવી હતી. અયોધ્યાથી ફ્લાઇટ પણ લગભગ 7 કલાક મોડી પડી હતી, ”એક સૂત્રએ જણાવ્યું હતું.

આ અંગે  સ્પાઈસજેટના પ્રવક્તાએ સ્પાઈસજેટની ફ્લાઇટ મૂવમેન્ટમાં વિલંબને “ઓપરેશનલ સમસ્યાઓ (એક એરક્રાફ્ટનું ગ્રાઉન્ડિંગ)” માટે જવાબદાર ગણાવ્યું હતું. “એરપોર્ટ પર કોઈ હંગામો થયો ન હતો કારણ કે મોટાભાગના મુસાફરોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. ગોવા માટે વહેલી સવારની ફ્લાઈટ બપોરે રવાના થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ભારતમાં એરલાઇનની ફ્લાઇટ કામગીરીને અસર થઈ છે, ”એક સૂત્રએ જણાવ્યું હતું. ઔદ્યોગિક સૂત્રોએ કર્મચારીઓને સમયસર પગાર ન ચૂકવવાને સંભવિત પરિબળ તરીકે કાર્યકારી પડકારો તરફ દોરીજાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.