સુરતમાં રોગચાળો વકર્યો, તાવ અને ઝાડા – ઉલ્ટીથી 2 વર્ષના બાળક સહિત 2ના મોત

ગુજરાત
ગુજરાત

સુરતમાં રોગચાળાએ જીવ લીધો છે. સુરતમાં તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસો વધી રહ્યા છે. સુરતના સચિન અને ગોડાદરામાં ઝાડા-ઊલટીથી 2ના મોત નિપજ્યાં છે. મહિલા સહિત 2 વર્ષીય બાળકનું મોત નીપજયું છે. બંને મૃતકોનો પરિવાર પરપ્રાંતિય છે.

ગરમીનો પ્રકોપ વધતા સુરતમાં રોગચાળો વકર્યો છે. ઝાડા-ઊલટીથી 2 વર્ષના બાળક સહિત બેના મોત થયા છે. બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસી તીરૂમાલા સોસાયટીમાં રહેતા બે વર્ષીય પુત્રનું મોત થયું છે. બાળકને અચાનક ઝાડા-ઊલટી થવા લાગ્યા જેથી સારવાર માટે ઉન પાટીયામાં આસ્થા ક્લિનીકમાં લઈ ગયા હતા અને સારવાર બાદ ઘરે લઈ આવ્યા હતા. ત્યાર બાદ તબિયત વધુ લથડી ગઈ અને તેનું ઘરે મોત નીપજ્યું હતું. વિષ્ણુનું મોત નીપજ્યા બાદ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. વિષ્ણુના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.