![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/corona-nnn-1.png)
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયા 7 કેસ
ભારતમાં કોરોનાનાં નવા વેરીએન્ટ jn.1 ની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે વધતાં જતાં કોરોનાનાં કેસ પર મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં એક્ટિવ કોરોના કેસનો આંકડો 13 સુધી પહોંચ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.
ગઈકાલે અમદાવાદમાં કોરોના કુલ 7 કેસ નોંધાયા છે. રાજકોટમાં બે મહિના બાદ કોરોનાનો પ્રથમ કેસ 22 ઓકટોબરે નોંધાયો હતો. ગુજરાતમાં વધતાં કેસથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને મદદની ખાતરી આપી છે. અને કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. કોરોનાનાં નવા વેરીએન્ટમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.