ડીસા માં એસ ટી તંત્ર દ્વારા બસો શરૂ કરાઇરખેવાળ, ડીસાકોરોના મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન એસ ટી વિભાગ દ્વારા તમામ રૂટ ની બસો બંધ કરી દેવા માં આવી હતી સતત ૫૭ દિવસ બાદ ફરીથી બસ સેવા શરૂ કરવાનો એસ ટી વિભાગ દ્વારા નિર્ણય લેવા માં આવ્યો હતો જેના ભાગ રૂપે બુધવારે ડીસા ડેપો માંથી પણ બસ સેવા શરૂ કરવામાં આવી હતી જેમાં ડીસા ડેપો ની ૧૫ થરાદ ડેપોની ૧૨ દિયોદર ડેપો ની ૧૨ રાધનપુર ડેપોની ૧૨ સિદ્ધપુર ડેપો ની ૧૨ મળી કુલ ૮૯ શિડયુલ દ્વારા ૫૦૦ જેટલી ટ્રીપ દોડાવવા એસ ટી વિભાગ પાલનપુર દ્વારા નિર્ણય લેવાયો હતો જેમાં પેસેન્જર ની સલામતી ના ભાગ રૂપે સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, અને સેનેતાઈજ સાથે તમામ પેસેન્જર ને ઇ ટીકીટ દ્વારા મુસાફરી કરવાની શરૂઆત કરવામાં આવી હતી જોકે છેલ્લા ૫૭ થી વધુ દિવસો થી ઘરમાં પુરાઈ લોકો બહાર મુસાફરી કરવામાં માં પણ ભય અનુભવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જવા પામી છે ડીસા ડેપો માં પણ ૧૫ જેટલા વિવિધ ગ્રામ્ય અને તાલુકા ના રૂટ ઉપર બસ સેવા શરૂ કરવા છતાં પણ પેસેન્જર ના અભાવે તમામ બસો માં એકાદ પેસેન્જર જોવા મળ્યું હતું અને મોટાભાગની બસો ખાલી રહેવા પામી હતી
Posted by Rakhewal on Wednesday, May 20, 2020
ડીસા માં એસ ટી તંત્ર દ્વારા બસો શરૂ કરાઇ
રખેવાળ, ડીસા
કોરોના મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન એસ ટી વિભાગ દ્વારા તમામ રૂટ ની બસો બંધ કરી દેવા માં આવી હતી સતત ૫૭ દિવસ બાદ ફરીથી બસ સેવા શરૂ કરવાનો એસ ટી વિભાગ દ્વારા નિર્ણય લેવા માં આવ્યો હતો જેના ભાગ રૂપે બુધવારે ડીસા ડેપો માંથી પણ બસ સેવા શરૂ કરવામાં આવી હતી જેમાં ડીસા ડેપો ની ૧૫ થરાદ ડેપોની ૧૨ દિયોદર ડેપો ની ૧૨ રાધનપુર ડેપોની ૧૨ સિદ્ધપુર ડેપો ની ૧૨ મળી કુલ ૮૯ શિડયુલ દ્વારા ૫૦૦ જેટલી ટ્રીપ દોડાવવા એસ ટી વિભાગ પાલનપુર દ્વારા નિર્ણય લેવાયો હતો જેમાં પેસેન્જર ની સલામતી ના ભાગ રૂપે સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, અને સેનેતાઈજ સાથે તમામ પેસેન્જર ને ઇ ટીકીટ દ્વારા મુસાફરી કરવાની શરૂઆત કરવામાં આવી હતી જોકે છેલ્લા ૫૭ થી વધુ દિવસો થી ઘરમાં પુરાઈ લોકો બહાર મુસાફરી કરવામાં માં પણ ભય અનુભવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જવા પામી છે ડીસા ડેપો માં પણ ૧૫ જેટલા વિવિધ ગ્રામ્ય અને તાલુકા ના રૂટ ઉપર બસ સેવા શરૂ કરવા છતાં પણ પેસેન્જર ના અભાવે તમામ બસો માં એકાદ પેસેન્જર જોવા મળ્યું હતું અને મોટાભાગની બસો ખાલી રહેવા પામી હતી