કોરોના : સુરતમાં સાત વર્ષના બાળકનો વધુ એક કેસ નોંધાતા પોઝિટિવનો આંક ૬૭૦ પર પહોંચ્યો

ગુજરાત
ગુજરાત

રખેવાળ, સુરત
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર વધુ એક કેસ મગદલ્લામાં સાત વર્ષના બાળકનો નોંધાતા સુરત જિલ્લામાં કુલ ૬૭૦ કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી પાલિકાના જણાવ્યા પ્રમાણે, ગઈકાલ સુધીમાં ૩૦ વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે ગઈકાલ સુધીમાં ૧૩૬ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ગત રોજ નવા નોંધાયેલા ૧૭ કેસમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ, વ્યંઢળ, ટાટા કન્સલટન્સી કંપનીના એન્જિનિયર તેમજ એક પરિવારના માતા-પુત્રનો પણ સમાવેશ થયો છે.

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા ૨ મહિનાની બાળકી સહિત કુલ ૫૮ પોઝિટિવ દર્દીઓ સાજા થતા શનિવારે તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં પહેલી વખત સૌથી વધુ ૫૮ દર્દીઓને એક સાથે રજા આપવામાં આવી હતી. સુરત જિલ્લામાં મોતનો આંકડો ૩૦ પર પહોંચ્યો છે. જ્યારે રિકવરની આંક ૧૩૬ પર પહોંચ્યો છે. જેથી મોતની સામે રિકવરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.