ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડ્યું : આજે નવા ૧૨૦૦થી પણ ઓછા કેસ, ૧૩૦૦થી વધુ દર્દી સાજા થયા

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડ્યું છે. તહેવારો બાદ વધેલા સંક્રમણથી ભયાનક સ્થિતિ જણાતી હતી જોકે ખૂબ ઝડપથી સંક્રમણ પર કન્ટ્રોલ આવી રહ્યો છે. આજે નવા ૧૨૦૦થી પણ ઓછા કેસ સામે આવ્યા જેની સામે ૧૩૦૦થી વધુ દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૧૭૫ કેસો નોંધાયા છે. જ્યારે ૧૧ દર્દીઓના મૃત્યુ થયા છે અને ૧૩૪૭ દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં કુલ ૬૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૧૩૨૩૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક ૪૧૭૧ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨૨૭૬૮૩ પર પહોંચ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાઓમાં નોંધાયેલા કેસો

અમદાવાદ ૨૪૭
સુરત ૧૭૨
વડોદરા ૧૫૨
રાજકોટ ૧૨૯
ગાંધીનગર ૫૨
મહેસાણા ૫૧
જામનગર ૪૫
અમરેલી ર૯
કચ્છ ૨૮
પાટણ ૫
જૂનાગઢ ૨૩
સાબરકાંઠા રર
આણંદર ૧
બનાસકાંઠા ૨૦
દાહોદ ૨૦
પંચમહાલ ૧૯
સુરેન્દ્રનગર ૧૯
ભાવનગર ૧૯
ખેડા ૧૫
ભરૂચ ૧૪
મોરબી ૧ર
મહિસાગર ૯
ગીર સોમનાથ ૬
નર્મદા ૬
અરવલ્લી ૫
બોટાદ ૪
દેવભૂમિ દ્વારકા ૩
છોટા ઉદેપુર ૨
નવસારી ૨
પોરબંદર ૨
તાપી ર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.