કોરોના સંકટ : સૌથી વધુ રિક્વરી રેટ ધરાવનાર રાજ્યોમાં ગુજરાત ૧૩માં નંબરે
ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધતો વધતો જાય છે, ત્યારે રાજ્યમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૧૩ હજારને પાર પહોંચી છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના દર્દીઓને હરાવનારની સંખ્યામાં સતત સુધારો થઈ રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત આ મામલે અન્ય રાજ્યોની સરખામણીમાં ૧૩માં સ્થાને છે. ગુજરાતમાં ૨૨ મેની સ્થતિએ કુલ ૧૩૨૭૩ કેસમાંથી ૫૮૮૦ દર્દીઓ સાજા થયા છે. આમ, ગુજરાતમાં હાલ કોરોનાનો રીક્વરી રેટ ૪૨.૫૧ % થઇ ગયો છે.
ગુજરાતમાં અગાઉની સરખામણીએ રીક્વરી રેટમાં ચોક્કસ સુધારો થયો છે. પરંતુ તેનાથી હજુ ખાસ હરખાવવા જેવું પણ નથી. કારણકે દેશના જે રાજ્યોમાં કોરોનાનો રીક્વરી રેટ સૌથી વધુ હોય તેમાં ગુજરાત હજુ ટોચના ૧૨ રાજ્યોમાં પણ નથી. ૨૨ મેની સ્થતિ પ્રમાણે પંજાબમાં સૌથી વધુ ૮૯.૬૯ ટકા રીક્વરી રેટ છે. મતલબ કે, પંજાબમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૧૮૪૭ વ્યક્ત સાજી થઇ ગઇ છે. પંજાબમાં અત્યાર સુધી કોરોનાથી ૩૯ વ્યક્તના મૃત્યુ થયા છે.