![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/Untitled-72.jpg)
રાજકોટની સિવિલમાં કોરોના પોઝિટિવ દર્દીઓએ યોગ કર્યા.
આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કોવિડ-૧૯ના કારણે લોકો પોતાના ઘરમાં કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ અને તેના પરિવાર દ્વારા પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદે આજે વહેલી સવારે પોતાના ઘરમાં વિવિધ યોગ કર્યા હતા. જેમાં તેમની સાથે તેમના પતિ ધીરુભાઈ શિયાળ તેમજ બંને દીકરીઓ પણ જોડાઇ હતી. ભારતીબેને જણાવ્યું હતું કે, યોગ કરવાથી માનવીની ઇમ્યુનિટી શક્તિમાં વધારો થાય છે અને જે કોરોના સામે પણ રક્ષણ આપે છે. ત્યારે લોકો પણ યોગને પોતાના જીવનમાં કાયમી સ્થાન આપી પોતાને અનેક પ્રકારના રોગોથી મુક્ત અને સુરક્ષિત રાખી શકે છે. ડો. ભારતીબેન શિયાળ અને તેનો પરિવાર યોગને કાયમી અપનાવી રહ્યો છે. જામગરમાં લોકોએ લાખોટા તળાવ પાસે યોગ કર્યા હતા. રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદીઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખી બેરેકમાં યોગ કર્યા હતા. બે કેદી વચ્ચે ૬-૬ ફૂટનું અંતર રાખવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં દર્દીઓએ યોગ કર્યા હતા. કોરોના પોઝિટિવ દર્દીઓએ યોગ કર્યા હતા. ડોક્ટર અંકિત માકડીયા પણ કોરોના પોઝિટિવ છે. તેણે પણ યોગ કરી કોરોના સામે કેવ રીતે જીતી શકાય તેની માહિતી આપી હતી.