![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/IMG-20200927-WA0120.jpg)
ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં 7 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન
ધાનેરા તાલુકાના નેનાવા ગામે પાંચ જેટલા કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા નેનાવા ગામના તમામ આગેવાનોની બેઠક સરપંચ દ્વારા બોલાવવામાં આવી હતી. જેમાં તમામ વેપારીઓને બોલાવીને ગામમાં કોરોનાથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને છેલ્લે ગામના સરપંચ દ્વારા સાત દિવસ માટે તમામ દુકાનો બંધ રાખવા માટે નક્કી કરવામાં આવ્યું હતું અને તમામ લોકોએ સ્વેચ્છાએ સમગ્ર બજારો બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે નેનાવાના સરપંચ ગેનસિગ દેવડાએ જણાવ્યું હતું કે ‘તમામ વેપારીઓના સહયોગથી સાત દિવસ માટે સમગ્ર ગામને લોકડાઉન આપ્યું છે. જેમાં માત્ર દૂધની ડેરી અને દવાખાના સિવાયના તમામ વેપાર-ધંધા બંધ રખાશે.