સીએમ રૂપાણીએ ફરીવાર લોકડાઉનની અફવા ફગાવી : હાલમાં પરિસ્થિતિ કાબૂમાં, કોરોના વકરશે તો…

ગુજરાત
ગુજરાત

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યમાં ફરીવાર લોકડાઉનની અફવા સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જોકે, રાજ્યમાં ફરીવાર લોકડાઉન લાગુ કરવામાં નહી આવે. કોરોનાના કારણે રાજ્યના ચાર મહાનગરમાં દરરોજ રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકાર કોરોનાનું સંક્રમણ રોકવા માટે કટીબદ્ઘ છે. લોકોને તુરંત કોરોનાની સારવાર મળે તેવું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.

સીએમ રૂપાણીએ ફરીવાર લોકડાઉનની અફવા ફગાવી
સોશિયલ મીડિયામાં ફરી લોકડાઉનના મેસેજ થયા હતા વાયરલ
રાજ્યમાં ફરીવાર લોકડાઉન નહી આવે: સીએમ રૂપાણી
સરકાર કોરોનાનું સંક્રમણ રોકવા કટીબદ્ધ: સીએમ

સરકારે માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેથી લોકોને ડરવાની જરૂર નથી. લોકો સરકારની એસઓપીનું પાલન કરે અને માસ્ક પહેરે.. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાની રસી માટે એક હજારથી વધુ લોકો પર ટ્રાયલ ચાલુ રહ્યુ છે. અને ચાર તબક્કામાં રસી આપવામાં આવશે.. કોરોનાની રસી પહેલા ફ્રન્ટલીન વોરિયર્સને આપશે,. જે બાદ કોરોના વોરિયર્સ, 50 વર્ષથી ઉપરના વ્યક્તિ, અને 50 વર્ષથી નીચેના દર્દીઓ જેઓ બીમારીથી જજુમી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.