RSS ના કાર્યક્રમમાં સામેલ થઇ શકશે કેન્દ્રીય કર્મચારી, સરકારે 58 વર્ષથી લાગેલા પ્રતિબંધને હટાવ્યો 

ગુજરાત
ગુજરાત

હવે કેન્દ્રીય કર્મચારી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ પર લાગેલ RSS પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. RSS નાં શતાબ્દી વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા આ ભેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં અધીનીષ્ઠ કર્મચારી જે સંઘનાં સ્વયંસેવક કાર્યક્રમમાં સામેલ થવા માંગતા હતા અને પ્રતિબંધોનાં કારણ તેમાં સામેલ થઇ શકતા ન હતા, તે પ્રતિબંધ હવે હટાવી દેવાના કારણે ખુશીનો માહોલ છે.

58 વર્ષ જુનો પ્રતિબંધ હટ્યો

કેન્દ્ર સરકારનાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યક્રમોમાં કેન્દ્રીય કર્મચારીઓને સામેલ થવા પર લાગેલ 58 વર્ષ જુના પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો છે. આ આદેશમાં કેન્દ્ર સરકાર દ્વારા 1966, 1970 અને 1980ના આદેશોમાં સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં અન્ય સંસ્થાઓની સાથે સાથે RSSની શાખાઓ અને અન્ય પ્રવુત્તિમાં સામેલ થવા પર સરકારી કર્મચારીને કાર્યવાહ, દંડ લાગુ કરવામાં આવ્યો હતો.

બાજયેપી સરકારમાં પણ લાગુ હતો કાયદો

RSSની પ્રવુતિઓમાં સામેલ થવા પર ક્રમચારીઓને કડક સજા આપવા સુધીની જોગવાઈ કરાઈ હતી. જો કે, આ વચ્ચે મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્ય સરકારોના આ આદેશને રદ કરી દેવામાં આવ્યો હતો, પણ કેન્દ્ર સરકારમાં આ આદેશ બનેલો હતો. 9 જુલાઈ 2024 નાં રોજ 58 વર્ષનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આં કાયદો અટલ બિહારી બાજયેપીનાં પ્રધાનમંત્રી કાર્યકાળમાં લાગુ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.