![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ભાજપે-જાહેર-રાજ્યસભાની-ચૂંટણીના-02.jpg)
ભાજપે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા
રાજ્યસભામાંથી રૂપાલા-માંડવિયા આઉટ:રામ મંદિરને 11 કરોડનું દાન, ગોવિંદભાઈને રાજ્યસભાનો ‘પ્રસાદ’, જે.પી. નડ્ડા, મયંક નાયક, જસવંતસિંહ પરમાર ઉમેદવાર જાહેર ભાજપે જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે.
એક બ્રાહ્મણ, એક પાટીદાર અને બે OBC ઉમેદવાર: ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મધ્ય ગુજરાતમાંછી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.