રાજકોટમાં મોટી દુર્ઘટના, ત્રિપલ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

રાજકોટમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના સરધારથી ભૂપગઢ રોડ પર ત્રણ બાઈક અને એક રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જન્માષ્ટમીનાં તહેવારને લઈ રાજકોટ સહિત ગુજરાત ભરમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકોટથી એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સરધાર પાસે ભૂપગઢ રોડ પર લીલીસાજળીયાળી ગામે આજે ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક છકડો રીક્ષાએ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક સહિત પાંચના મોત થયા છે. આ ત્રણ ખેતમજૂરો અને બે સ્થાનિકોના મોત થયા છે. એક સાથે 5 લોકોના મોતને પગલે પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી છે.ઘટનાની જાણ થતા આજી ડેમ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.