![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/bhupat.png)
ગુજરાતમાં ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, AAP છોડશે ભૂપત ભાયાણી
ગુજરાતમાં રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. AAP નાં નેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભૂપત ભાયાણી કેસરિયા કરીને ભાજપમાં જોડાઈ શકે છે.
વિસાદવદરમાં 108 કહેવાતા ભૂપત ભાયાણી AAP છોડી ભાજપમાં જોડાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. AAP ના પ્રવકતા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, ભાજપ જુદાં જુદાં પ્રલોભ આપી ડરાવીને અન્ય પક્ષનાં નેતાને તોડે છે. કોંગ્રેસ હવે રહ્યું નથી તેથી ભાજપ આપ થી ડરે છે.