![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/girnar-1.png)
યાત્રાધામ ગીરનાર પર્વત પર આજથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ
યાત્રાધામ ગીરનાર પર્વત પર આજથી પ્લાસ્ટિક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આજથી પર્વત પર કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુ લઇ જઈ શકાશે નહિ. હાઇકોર્ટ દ્વારા ગીરનાર પર્વત પર પ્લાસ્ટિકનાં ઉપયોગ અટકાવવા મામલે કડક આદેશ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં આવલે ગીરનાર પર્વત પર કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. ગીરનાર અને દાતાર પર્વત પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એન્ટ્રી પોઇન્ટથી જ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ પર રોક લગાવવાનો આદેશ છે. ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ બાદ આજથી જ આ નિર્ણય અમલમાં મુકવામાં આવ્યો છે. .