અત્યારે રોજ દોઢ લાખ રેમડેસિવિર બને છે, રોજનુ ઉત્પાદન 3 લાખ કરાશેઃ મનસુખ માંડવિયા

ગુજરાત
ગુજરાત

દેશમાં કોરોનાના સંક્રમણે ભયાનક સ્થિતિ સર્જી છે. કોરોનાની સારવાર માટેના રેમડેસિવિર ઈન્જેક્શનની સર્જાયેલી અછત વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ છે કે, સરકાર રેમડેસિવિર ઈન્જેક્શનનુ પ્રોડક્શન વધારવા માટે અને તેના ભાવ ઘટાડવા પર કામ કરી રહી છે.

તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં રોજ દોઢ લાખ રેમડેસિવિર ઈન્જેકશનનુ પ્રોડક્શન શરુ થઈ ચુકયુ છે. કેન્દ્રના રસાયણ મંત્રી માંડવિયાએ કહ્યુ હતુ કે, આગામી 15 દિવસમાં રોજના 3 લાખ લેખે રેમડેસિવિરનુ ઉત્પાદન કરવામાં આવશે.

હાલમાં આ ઈન્જેક્શન બનાવતા 20 પ્લાન્ટ ઉપરાંત બીજા 20 પ્લાન્ટને પણ મંજૂરી અપાઈ છે. તેની કિંમત ઓછી કરવા માટે તમામ કંપનીઓ સાથે વાત થઈ છે અને એ પછી કંપનીઓએ 5000 રુપિયાથી વધારે રિટેલ કિંમતના આ ઈન્જેક્શનની કિંમત ઘટાડીને 3500 કે તેના કરતા ઓછી કરી દીધી છે.

દરમિયાન માંડવિયાએ ટ્વિટર પર કહ્યુ હતુ કે, સરકારની અપીલ બાદ કંપનીઓએ ભાવ ઓછા કર્યા છે અને હું દવા કંપનીઓો આભારી છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.