અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયર્સનું મોત, PSI એ.એન. ભટ્ટ જીવનનો જંગ હાર્યા

ગુજરાત
ગુજરાત

કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાને માત આપવા લડી રહેલા કોરોના વોરિયર્સ સતત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોરોના સામે લડી રહેલા આ વોરિયર્સ રાત-દિવસની પરવાહ કર્યા વગર સતત પોતાનું કામ કરી રહ્યા છે. ત્યારે કોરોનાએ સંક્રમિત રોગચાળો છે અને આ કામ દરમિયાન એવા તો કેટલાયે કિસ્સાઓ આપણી સામે આવ્યા છે કે કોરોનાને મ્હાત આપવા લડી રહેલા આ કોરોના વોરિયર્સ ક્યારેક પોતાનો જીવ ગુમાવી બેસે છે.

ગુજરાતમાં કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે તેવામાં અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયર્સનું નિધન થયુ છે. નરોડા પોલીસ મથકના PSIનું કોરોનાથી નિધન થયુ છે. PSI એ.એન. ભટ્ટનું કોરોનાથી નિધન થયુ છે. નરોડા પોલીસ મથકના PSI તરીકે ફરજ બજાવી રહેલા એ એન ભટ્ટનુ 57 વર્ષની ઉમરે નિધન થયુ છે.

PSI એ.એન. ભટ્ટ 12 સપ્ટેમ્બર સુધી ડ્યુટી પર હતા. આ દરમિયાન તેઓને તાવ આવ્યો હતો. 13 સપ્ટેમ્બરના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. જો કે આ સમય દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી.

ત્યારબાદ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી પણ તેઓની તબિયત વધુ લથડતા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન તેઓનું આજે નિધન થયુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.