![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/kong.png)
ફરી એકવાર કોંગ્રેસને ઝટકો મળે તેવી શક્યતા, વધું એક કોંગ્રેસનાં ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેટલાક ધારાસભ્યો રાજીનામું આપીને પક્ષપલટો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ AAP નાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું. ત્યારબાદ કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપ્યું છે. હજું પણ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે.
કોંગ્રેસને ફરી એકવાર ઝટકો મળે તેવી શક્યતાઓ છે. કૉંગ્રેસનાં વધું એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના છે. જો કે ધારાસભ્યએ હજું સુધી વિધાનસભાના અધ્યક્ષનો મળવાનો સમય નથી માગ્યો.
મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે ઘટીને 16 થઈ ગયું છે. હજૂ પણ આ સંખ્યા ઘટે તેવી શક્યતાઓ છે.