સુરતમાં રેલવે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ નિષ્ફળ બન્યો

ગુજરાત
ગુજરાત

સુરતમાં રેલવે ટ્રેક પર મોટી ઘટના બની છે. જેમાં રેલવે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ માટે રેલવે ટ્રેક પર લોખંડનો પાઈપ દેખાઈ જવાના કારણે ટ્રેનના મોટર મેનની નજર પડી હતી. જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.આ અંગેની માહિતી અનુસાર, સુરત નજીક રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ જેવી વસ્તુ દેખાઈ હતી. જેના દ્વારા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવાનો પ્રયાસ કરવામાં આવે તેવું લાગી રહ્યું હતું. આ દરમિયાન સૌરાષ્ટ્ર જનતાના મોટર મેનથી ટ્રેક પર નજર પડી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.


આ દરમિયાન નોંધનીય છે કે, રેલવે ટ્રેક પરથી 19217 નંબર ટ્રેન મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન પસાર થવાની હતી. જેનો પણ બચાવ થયો છે. આ સાથે જ રેલવે પોલીસે તપાસ તાત્કાલિક તપાસ હાથ ધરી છે. જેમાં અજાણ્યા શખ્સો સામે રેલવે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.