અંબાલાલ પટેલની આગાહી, ભર ઉનાળે ખાબકશે વરસાદ

ગુજરાત
ગુજરાત

ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આપણે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરીથી નવી આગાહી કરી છે અને કહ્યું છે કે ભરઉનાળે વરસાદ ખાબકશે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગો વિશે આગાહી કરતાં અંબાલાલે કહ્યું કે ચારેકોર વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે અને કચ્છના ભાગોમાં પવન વધારે રહેવાની તેમજ વાદળધાયું વાતાવરણ રહેશે.

હવામાન નિષ્ણાંત જણાવ્યું કે આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ ખાબકશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડશે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.