અંબાલાલ પટેલે કહ્યું કે આગામી સમયમાં કાળ બનીને વરસાદ ત્રાટકશે અને ખેડૂતોની ચિંતામાં વધારો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ આવનારા સમયમાં ફરીથી હવામાનમાં પલટો આવે તેવા યોગ જણાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી સમયમાં કાળ બનીને વરસાદ ત્રાટકશે અને ખેડૂતોની ચિંતામાં વધારો થશે. ભૂ-મધ્ય સાગરમાં ફરી ચક્રવાત સર્જાશે અને તેના કારણે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર નીચે કમોસમી વરસાદ આવી શકે છે. જાન્યુઆરી મહિનાના અંતમાં ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે અને ખેતી પાકોને વ્યાપક નુકસાન થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, ભૂ-મધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત ઉદભવી રહ્યું છે અને જેના કારણે આગામી ૨૪થી ૨૬ જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. હાલમાં ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમણે કહ્યું કે, ૨૪મીએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે કમોસમી વરસાદ પડી શકે છે. બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જાેવા મળી શકે છે અને અષાઢી માહોલ જાેવા મળી શકે છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે અને વાતાવરણ સ્વચ્છ થયા બાદ ફરીથી ઠંડીનો ચમકારો જાેવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત પણ ઝડપી શરૂ થઈ જશે અને ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમીનો પારો ઊંચકાઈ જશે અને કાળઝાળ ગરમી અનુભવાશે. કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને જીરૂથી લઈ વરિયાળી, રાયડો, શાકભાજી, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.