રાજકોટ-અમદાવાદ વચ્ચે શરૂ થશે હવાઈ સેવા, આ તારીખથી ભરશે ઉડાન
રાજકોટ અને અમદાવાદ અવરજવર કરતાં મુસાફરો માટે સારા સમાચાર છે. આગામી 31 માર્ચથી રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફલાઇટ સેવા શરૂ કરવામાં આવશે. ઈન્ડિગો કંપની દ્વારા ફલાઇટ શરૂ કરવામાં આવશે. ઈન્ડિગો ફલાઇટ અમદાવાદના એરપોર્ટથી બપોરે 2.35 કલાકે ટેક ઓફ થશે. જે બાદ રાજકોટમાં આવેલ હીરાસર એરપોર્ટ પર 3.30 વાગ્યે લેન્ડ થશે.
રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે. જેમાં 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ થશે. તેમાં ઇન્ડિગોની ફલાઇટ શરૂ કરવામાં આવશે. જેમાં ફલાઇટનું બુકિંગ પણ શરૂ થયું છે. તેમાં અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરશે. તથા રાજકોટ એરપોર્ટ પરથી 3.50 વાગ્યે ટેક ઓફ થશે.