કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, ICUમાં દાખલ
કૃષિ મંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડી છે. તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ICU હેઠળ સારવાર ચાલી રહી છે. તેમને માઈનર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. હાલ મળતી માહિતી અનુસાર તેમની તબિયતમાં સુધારો થયો છે. જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત લથડી હતી.
રાઘવજીભાઈની તબિયત હાલ સ્થિર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર્ડાક્ટરો સાથે વાત કરી હતી. રાઘવજી પટેલ ર્ડાક્ટરોના ઓબઝર્વેશનમાં છે. તેમજ હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યુરોસર્જન ર્ડા. સંજય ટીલાા સારવાર આપી રહ્યા છે.