ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ સુધી ઠંડીમાં વધારો થશે
હવામાન વિભાગે અગાહી કરી છે કે, આગામી પાંચ દીવસ સુધી ઠંડીમાં વધારો થશે અને વાદળ છાયું વાતાવરણ રહેશે. મિચોંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. રાજ્યમાં 15થી 20 કિલોમિટર પ્રતિ કલાકે પવનો ફૂંકાઈ શકે છે. થોડા દીવસ રાજયમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, તાપી, નર્મદા, સુરત, ભરૂચ સહિત શહેરોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યા છે.
દક્ષિણ ભારતમાં વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે. ત્યારે ગુજરાત પર વાવાઝોડાની કોઇ સીધી અસર પડવાની શકયતા તો નથી. પરંતુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે પવન ફુંકાઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રફતારની પવન ફુંકાઇ રહ્યા છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.