![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/AANAN.png)
આણંદમાં ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અક્સ્માત સર્જાયો, ત્રણ લોકોનાં મોત
આણંદમાં ઝારોલા બસ સ્ટેન્ડ પાસે કાર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત થયાં હતાં. ગઈકાલે મોડી રાત્રે કાર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ગઈકાલે મોડી રાત્રે ઝારોલા બસ સ્ટેન્ડ નજીક કાર ટ્રક નીચે ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘુસી જતાં જેસીબી દ્વારા કારના પતરા ઉંચકીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્રણ મૃતક યુવકો બોરસદના જંત્રાલના વતની હોવાનું જાણવા મળ્યું છે. ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
RAKHEWALની એપ ડાઉનલોડ કરવા માટે આ લીંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.app.rakheval