અમદાવાદ કાલુપુર બ્રીજ પર બે બાઈક વચ્ચે અકસ્માત, એક બાઇકચાલકનું મોત, એક ઈજાગ્રસ્ત

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદમાં કાલુપુર બ્રીજ પર અકસ્માત સર્જાયો હતો. બે બાઇકચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ કાલુપુર બ્રીજ પર અકસ્માત સર્જાતાં એક બાઈક ચાલકનું મોત થયું હતું. જયારે અન્ય બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી અનુસાર ભીડભાડ વાળા અમદાવાદ કાલુપુર બ્રીજ પર બે બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક સવારનું મોત થયું હતું. અને અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો. આસપાસના લોકો દોડી આવી 108 ને જાણ કરતાં 108 ઘટનાં સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત વ્યકિતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાની પોલિસને જાણ થતાં ઘટનાંસ્થળે દોડી આવી અકસ્માતને મોતનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.