રાજ્યમાં કુલ ૧૪,૮૨૯ પોઝિટિવ કેસો નોંધાયા, જેમાથી ૭,૧૩૯ દર્દી સાજા થયા, મૃત્યુઆંક ૯૧૫એ પહોંચ્યો
અમદાવાદ :રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ કુલ ૧૪,૮૨૯ થયા છે. જ્યારે ૭,૧૩૯ દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ ૪૮.૧૩ ટકા થયો છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૧૫ થયો છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૬૧ કેસ નોંધાયા છે. જ્યારે ૨૭ દર્દીના મોત થયા છે. જોકે તેની સામે ૫૦૩ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
ગઈકાલે જિલ્લામાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં ૨૫૧, સુરત ૩૬, વડોદરા ૩૧, સાબરકાંઠા ૮, ગાંધીનગર ૭, જામનગર ૫, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં ૩-૩ કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં ૨-૨ કેસ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં ૧-૧ કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા ૨૭ મોતમાંથી ૨૩ અમદાવાદમાં જ્યારે ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં ૧-૧ મોત નોંધાયું છે.
Tags Gujarat