જુનાગઢમાં દીપડાએ આધેડ પર હુમલો કરતા મોત
જૂનાગઢમાંથી એક ર્હદય કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢમાં દીપડાએ આધેડ પર હુમલો કર્યો છે. જો કે, હુમલાથી આધેડ છગનભાઈ સગરનું મોત નીપજ્યું છે. દીપડાનાં હુમલા બાદ પંથકમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. દીપડાના હુમલાથી ખેડૂતનું મોત થયા પછી ખેડૂતના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે. આધેડનું મોત થતાં તેના પરિવારજનમાં શોકનો માહોલ છવાયો છે. સાથે જ વનવિભાગનો સ્ટાફ પર ઘટનાસ્થળે પહોંચ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.