નિષ્ઠુર માતાએ નવજાત બાળકીને તરછોડી, રખડતા શ્વાને ફાડી ખાધી
નવસારીથી માની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના ગણદેવીમાં નિષ્ઠુર માતાએ નવજાત બાળકીને તરછોડી દીધી. જેને રખડતા કૂતરાઓએ ફાડી ખાધી. નવસારીના ગણદેવીમાં બાપા સીતારામ મઢુલી પાછળ નિષ્ઠુર માતાએ નવજાત બાળકીને તરછોડી દીધી હતી. જેને રખડતાં કૂતરાંઓએ ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસ નિષ્ઠુર માતાની શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આજે સવારે 11 વાગ્યે આસપાસ ગણદેવીમાં બાપા સીતારામ મઢુલી પાછળ ત્રણ કૂતરાએ નવજાત બાળકીને ફાડી ખાધી હતી. ભદ્રેશ ભરવાડ નામનાં ગણદેવી હોમગાર્ડમાં કાર્યરત અને પશુપાલન કરતા વ્યક્તિએ શ્વાનને જોતાં તેમને જણાયું કે કૂતરાઓએ નવજાત બાળકીને ફાડી ખાધી છે. આ ઘટનાની જાણ થતાં ભદ્રેશ ભરવાડે ગણદેવી પોલીસને અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસ ઘટનાં સ્થળે પહોંચી તરછોડેલી બાળકીની માતાને શોધવાનો પ્રયાસ ચાલું કાર્યો. તેમજ મૃત બાળકીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.