સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં 35 વર્ષીય મહિલાએ બે બાળકો સાથે કર્યો સામુહિક આપઘાત
સુરત શહેરના રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 35 વર્ષીય રિતા ચોરસિયા નામની મહિલાએ 11 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરા સાથે રહેતી હતી. પરંતુ આજે અચાનક બાળકો સાથે માતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પહેલા માતાએ બન્ને બાળકની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. 11 વર્ષીય પુત્રીનું નામ અંશીતા હતું અને 5 વર્ષના પુત્રનું નામ રોબર્ટ હતું.
આ આપઘાતની ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક મહિલા રીતા ચોરસિયા મૂળ બિહારની રહેવાસી હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલાનો પતિ રાજેશ પ્રસાદ સાથે નેપાળના કાઠમંડુમાં રહેતી હતી. નેપાળમાં તેમને કરિયાણાની દુકાન હતી. કરિયાણાની દુકાનમાં મુન્ના નામનો નોકર કામ કરતો હતો. ત્યારે રિતા ચોરસિયાની મુન્ના નોકર સાથે આંખ મળી જતા નેપાળથી ભાગીને સુરત આવી હતી. ત્યારબાદ રિતા સુરતમાં પ્રેમી મુન્ના સાથે રહેવા લાગી હતી.
મૃતક મહિલાને પહેલા પતિ દ્વારા અંશીતા નામની દીકરી હતી. જયારે પ્રેમી સાથે રહેતા રોબર્ટ નામનો પુત્ર હતો. ગઈકાલે આપઘાત કરનાર મહિલા રાંદેર પોલીસ મથકે પતિના ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાને આર્થિક મદદ પણ કરી હતી. મહિલાએ 498 નો કેસ કર્યો હતો જેમાં પોલીસે કાર્યવાહી કરી હતી.