![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/coronavirus-1200x675-1.jpg)
રાજયમાં ૨૪ કલાકમાં કોરોનાના ૯૪૯ કેસ : ૧૭ ના મોત
ગાંધીનગર : રાજ્યમાં સતત પાંચમા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૯૦૦ને પાર નોંધાયો છે. આજે રાજ્યમાં ૧૨૮૩૦ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૯૪૯ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૪૬ હજારને પાર થઈ ૪૬૫૧૬ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૭ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૧૦૮ થયો છે. રાજ્યમાં આજે ૭૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ડિસ્ચાર્જ કરવાનો આંકડો ૩૨૯૪૪ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ ૧૧૪૬૪ એક્ટિવ કેસ છે. જેમાં ૭૧ વેન્ટીલેટર પર ૧૧૩૯૩ દર્દી સ્ટેબલ છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૫ લાખ ૧૨ હજાર ટેસ્ટ કુલ કરવામાં આવતાં કોરોનાથી સંક્રમિત કુલ કેસનો આંકડો ૪૬૫૧૬ આજ દીન સુધી નોંધાયા છે.