રાજ્યમાં 9.77 લાખ ભૂલકાંઓએ આંગણવાડી અને 2.30 લાખ બાળકોએ ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો

ગુજરાત
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-2023માં સહભાગી થયેલા પદાધિકારીઓ અને અધિકારીઓના પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન-પ્રદાન માટે યોજાયેલી બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. આ શાળા પ્રવેશોત્વમાં જે-તે ગામોની કે શાળાઓની મુલાકાત દરમ્યાન અથવા SMC સાથેની બેઠક દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થવું જોઈએ.આ ડૉક્યુમેન્ટેશન સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને જે-તે શાળાઓમાં ત્રૂટિઓ દૂર કરી સુવિધા-સગવડ આપી સારૂં પરિણામ મેળવવામાં મદદરૂપ થશે. આ વખતે ધોરણ-1 માં કુલ 2 લાખ 30 હજાર બાળકોએ તથા આંગણવાડીમાં 9 લાખ 77 હજાર 513 ભુલકાંઓએ પ્રવેશ મેળવ્યો છે.

તેમણે જણાવ્યું કે, શાળાની મુલાકાતે ગયેલા અધિકારીઓ પોતાના સાચા-સારા અનુભવો વ્યક્ત કરીને ભવિષ્યના પ્રવેશોત્સવ માટે ઉપયોગી મહત્વપૂર્ણ સૂઝાવ આપે તે અપેક્ષિત છે. આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવ-2023ની સફળતા અંગેના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના 27 જિલ્લાઓની 27368 પ્રાથમિક શાળાઓમાં આ દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવ અન્વયે 315 જેટલા વર્ગ-1-2 ના અધિકારીઓ સહિત 46600થી વધુ મહાનુભાવોએ શાળાઓની મુલાકાત લીધી હતી. ધોરણ-1 માં કુલ 2 લાખ 30 હજાર બાળકોએ તથા આંગણવાડીમાં 9 લાખ 77 હજાર 513 ભુલકાંઓએ પ્રવેશ મેળવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.