મોરબી લીલીપર રોડ પર આવેલા શક્તિ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક નસીલી સિરપની 70 બોટલો ઝડપાઈ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને ગેરકાયદેસર વેચાતી નસીલી સિરપનાં જથ્થાને પકડી પાડવામાં આવે છે. ખેડા જિલ્લામાં આયુર્વેદિક નસીલી સીરપ પીવાનાં કારણે 5 લોકોનાં મોત થયા હતા. જે બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબીમાં નસીલી સીરપની 70 બોટલો મળી આવી છે. મોરબીના લીલપર રોડ પર આવેલી શક્તિ કિરાણા સ્ટોરમાંથી નકલી સિરપની 70 બોટલો ઝડપાઈ છે. રસિક ભડીયાણા નામનો દુકાનદાર ગેરકાયદેસર નસીલી સીરપનું વેચાણ કરતો હોવાની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસને દુકાનમાંથી નસીલી સિરપની 70 બોટલો મળી આવી હતી. દરોડા પાડતા પોલીસને દુકાનમાંથી 12000ની નસીલી સીરપ મળી આવી હતી. તેમજ એ જ કોમ્પલેક્ષમાંથી અન્ય 20 નસીલી સિરપની બોટલો પકડી પાડી હતી. પોલીસ દ્વારા દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.