![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/142605-doctor-1586088009.jpg)
ગુજરાતમાં ૪૭૭ કોરોના પોઝિટિવ : ૩૧નાં મોત
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૭૭ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી સંક્રમીત થવાનો આંકડો ૨૦૫૭૪ પર પહોંચ્યો છે. રાજ્યમાં વધુ ૩૧ વ્યક્તઓના મોત વીતેલા ૨૪ કલાકમાં થતા કુલ મૃત્યુ ૧૨૮૦ થયા છે. અમદાવાદમાં આજે નવા ૩૪૬ કેસ નોંધાતા કુલ સંક્રમીતનો આંક ૧૪૬૩૧ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે ૫૯ જણા વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે. ૩૨૧ વ્યÂક્તઓ સાજા થઈને ઘરે ગયા છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે કોરોનાનો કેર યથાવત રહ્યો હતો.
રાજ્યમાં નવા ૪૭૭ દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં આજે ૩૪૬ કેસ સાથે ૨૪ દર્દીના મૃત્યુ પામ્યા હતા. આ અગાઉ એક દિવસમાં ૩૪૯ કેસનો વિક્રમ નોંધાયો હતો. આજે રાજ્યમાં ૩૨૧ દર્દીઓએ સાજા થયા કુલ સંખ્યા ૧૩૯૬૪ થતા ૧૪ હજારની આંકડા નજીક પહોંચ્યો છે.