![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-441.jpg)
અનગઢ તાલુકા પંચાયતના પ્રભારી સહિત ૩૦૦ એ ભાજપને રામરામ કર્યા
વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ સમીકરણો પણ બદલાઇ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાની સૌથી ચર્ચાસ્પદ વાઘોડિયા વિધાનસભાની સીટ પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
આજરોજ વડોદરા તાલુકાના અનગઢ મુકામે વાઘેલાના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે ભાજપના અનગઢ તાલુકા પંચાયતના પ્રભારી સંજય ગોહિલ ભાજપ છોડીને પોતાના ૩૦૦ સમર્થકો સાથે ધર્મેન્દ્રસિંહ સાથે જોડાયા હતા. હજી થોડા દિવસ પહેલા જ ૩૫૦ થી વધુ કાર્યકરો અને ૨૧ જેટલા હોદેદ્દારો ભાજપ છોડીને વાઘેલાના સમર્થનમાં જોડાયા હતા. હવે ફરીવાર મહી કાંઠા ગામોના ૩૦૦ થી વધુ કાર્યકરો ધર્મેન્દ્રસિંહ સાથે જોડાઇને પ્રચાર કાર્યમાં લાગી ગયા છે.