વડોદરામાં વધુ 3 દર્દીના મોત, કુલ કેસ-3604, રિકવરી રેટ 80.16 ટકા થયો, ભરૂચમાં વધુ 9 કેસ નોંધાયા

ગુજરાત
ગુજરાત

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 3 દર્દીના મોત થયા છે. વડોદરાના દર્દીનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. આ ઉપરાંત અંકલેશ્વરના 72 વર્ષીય દર્દીનું અને આણંદના 60 વર્ષીય દર્દીનું પણ સારવાર દરમિયાન મોત થયા છે. તમામની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 9 પોઝિટવ કેસ નોંધાયા છે. રેપિડ કીટથી લેવાયેલા 9 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 653 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા અને શહેર જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 3604 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 2889 દર્દી રિકવર થયા છે. આમ 80.16 ટકા દર્દીઓ રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 653 એક્ટિવ કેસ છે, જે પૈકી 131 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 572 દર્દીની હાલત સ્થિર છે.

શહેરઃ VIP રોડ, પ્રતાપગંજ, ન્યુ સમા રોડ, વારસીયા RTO રોડ, સોમા તળાવ, ચાણક્યપુરી, છાણી જકાતનાકા, રાવપુરા, માણેજા, મકરપુરા, ન્યુ સમા રોડ, મકરપુરા રોડ, સુભાનપુરા, લક્ષ્મીપુરા રોડ, ખત્રીપોળ ગ્રામ્યઃ ડભોઇ, કરજણ, પાદરા, બાજવા, કરોડિયા, સયાજીપુરા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.