મધ્યપ્રદેશના 28 વર્ષીય સુરજે વીજ વાયર પકડી જીવન ટૂંકાવ્યું

ગુજરાત
ગુજરાત

દાહોદમાં નસીપુર ગામે એમ.જી.વી.સી.એલની ડીપીમાં લાગેલા વાયરોને પકડી ને મધ્યપ્રદેશનાં યુવકે આત્મહત્યા કરી છે. વીજ વાયરને પકડતાં યુવકને કરંટ લાગતા મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં દાહોદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી મોતનો ગુનો નોંધી મૃતદેહને દાહોદ ઝાયડસ હોસ્પીટલમાં પી એમ માટે મોકલવામાં આવ્યો છે.

28 વર્ષીય મૃતક મધ્ય પ્રદેશના ધાર જીલ્લાના આંબેડી ગામનો રહેવાસી છે. યુવક દાહોદના નસીરપુર ગામે ઈન્દોર હાઇવે તરફ જવાના રસ્તે આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપી પાસે પલળેલા કપડે દોડતો આવી વીજ કંપનીના લાગેલા ડીપીનો દરવાજો ખોલીને વીજ વાયરને પકડી લેતા વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવી અને આ ઘટનાં અંગે દાહોદ પોલિસને જાણ કરી હતી. દાહોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.