જામનગરમાં હડકાયા શ્વાને 12 લોકોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં દિવસે દિવસે રખડતા શ્વાનનો અને રખડતા ઢોરનો આતંક વધતો ગયો છે તો રખડતા શ્વાનનો આતંક જામનગરમાં પણ જોવા મળ્યો છે. જામનગરના લાલપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક જ રાતમાં એક 12 લોકોને શ્વાને બચકાં ભરી લેતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

લાલપુરમાં હડકાયા શ્વાને 12 લોકોને બચકાં ભરતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં સૌથી વધુ બાળકોનો સામેલ છે. હડકાયા શ્વાને બાળકો અને યુવકોના મોઢા અને શરીરના અન્ય ભાગે બચકાં ભર્યાં છે. એક યુવકને તો આંખ પર જ બચકું ભર્યું છે. આતંક મચાવનાર શ્વાનને પકડવા તંત્ર કામે લાગ્યું છે. બીજી તરફ શહેરીજનોમાં ભય ફેલાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.