રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ ૧૦૭૮ કેસ : ર૮ લોકોના મોત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોના પોેઝિટિવનો આંકડો હજારને પાર થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૫૪૧૭ કોરોના ટેસ્ટ કરવામાં આવતા ૧૦૭૮ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૫૨ હજારને પાર થઈ ૫૨૫૬૩ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૮ દર્દીઓના મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૨૨૫૭ થયો છે. રાજ્યમાં ૭૧૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.આ સાથે કુલ ૩૭૯૫૮ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ ૧૨૩૪૮ છે. જેમાં ૮૯ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૧૨૨૫૯ દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના પોઝીટીવના દૈનિક કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના ૮ કોર્પોરેશન અને ૩૧ જીલ્લામાં કોરોના પ્રસર્યો છે.આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ રાજ્યમાં ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના કારણે ૨૮ દર્દીઓના મોત નોંધાયા છે.સુરત કોર્પોરેશનમાં ૧૦ અને જીલ્લામાં ૪, અમદાવાદ કોર્પોરેશનમાં ૪ અને જીલ્લામાં ૧, કચ્છ, પાટણ અને વડોદરા કોર્પોરેશનમાં ૨, ભાવનગર કોર્પોરેશન બોટાદ અને મોરબીમાં ૧ મોત નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.