અંબાજીમાં જીપ પલટી મારી જતાં 1 યુવકનું મોત, 3 ઇજાગ્રસ્ત
કોરોના મહામારી વચ્ચે આજે વહેલી સવારે અંબાજી નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. કોટેશ્વરથી અંબાજી તરય આવી રહેલ જીપના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં પલટી મારી ગઇ હતી. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકત્ર થઇ જતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે કોટેશ્વરથી અંબાજી બાજુ આવી રહેલ જીપ જીઆઇડીસી આગળ પલટી મારી ગઇ હતી. જેથી જીપમાં બેઠેલા લોકો ઇજાગ્રસ્ત થતાં તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે દવાખાને લઇ જતાં દરમ્યાન એક વ્યક્તિનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે.
ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપ ડિવાઈડર પર ચઢ્યા બાદ લાઇટના થાંભલા સાથે અથડાતાં રસ્તા વચ્ચે પલટી મારી ગઇ હતી. અંબાજી આસપાસના વિસ્તારો વળાંકોવાળો વિસ્તાર હોવાથી અનેક વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવતી હોય છે. આ તરફ આજે વહેલી સવારે ત્રિશુલિયા ઘાટમાં પણ ટ્રક પલ્ટી મારી હોવાનું સામે આવ્યુ છે.