રાધનપુર તાલુકાના દેવ નજીક વાન ભડ-ભડ સળગી ઉઠી

ગુજરાત
ગુજરાત

 રખેવાળ ન્યુઝ  રાધનપુર 
         રાધનપુર તાલુકાના દેવ નજીક પેટ્રોલ પમ્પ ઉપર બુધવારે મોડી સાંજે રેલવેના કોન્ટ્રાક્ટર વાન લઈને ઓઇલ લેવા પમ્પમાં ગયા હતા,એ સમય દરમ્યાન વાનની નીચે તણખા થયા બાદ વાન ભડ-ભડ સળગી ઉઠી હતી,જેથી પેટ્રોલપંપના માલિક પરબતભાઇ ચૌધરીએ તેમના માણસોની મદદથી વાનને તુરંત જ પમ્પથી દૂર ખસેડી હતી,અને ઓક્સિજનની બોટલ વડે છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી.પરંતુ થોડીવાર પછી આગ ફરીથી ભભૂકી ઉઠી હતી અને થોડીજ મિનિટોમાં વાન બાળીને ખાખ થઇ જવા પામી હતી.જો વાનને પમ્પથી દૂર ના ખસેડી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ જાત.જો કે કોઈને ઇજા થવા પામી નહોતી. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.