રાજ્યની પ્રથમ ‘તેજસ’ અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ, મુખ્યમંત્રી રૂપાણીએ લીલીઝંડી આપી

ગુજરાત
ગુજરાત

ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ને આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી. તેજસને લીલીઝંડી આપવામાં આવી તે પહેલા વેસ્ટર્ન રેલવે એપ્લોઈઝ યુનિયન દ્વારા રેલવેના ખાનગીકરણનો વિરોધ કરતા કાર્યકરોની રેલવે અને સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી.આઈઆરસીટીસીના અધિકારીના જણાવ્યા અનુસાર ‘તેજસ’ ટ્રેન માટે 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ટ્રેનમાં પેસેન્જરને કોઈપણ પ્રકારના સ્પેશિયલ ક્વોટા કે કન્સેશનનો લાભ નહીં મળે. ફ્લાઈટની જેમ આ ટ્રેનમાં પણ ડાયનેમિક ફેર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આથી માંગ વધારે હશે ત્યારે ભાડું પણ વધતું રહેશે. ટિકિટના દરમાં પેસેન્જરને અપાતા ચા, કોફી, બ્રેકફાસ્ટ અને લંચ કે ડીનરનો સમાવેશ થઈ જાય છે. પેસેન્જર માટે 25 લાખનો અકસ્માત વીમો અને લગેજનો રૂ.1 લાખનો વીમો છે.તેજસ ટ્રેનને સમયસર દોડાવવા અમદાવાદ-મુંબઈ વચ્ચે આવતી-જતી 33 ટ્રેનના સમયમાં 5 મિનિટથી માંડી 55 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ય ટ્રેનોના સમયપત્રકમાં થયેલા ફેરફાર મુજબ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ, નવજીવન એક્સપ્રેસ 25 મિનિટ મોડી ઉપડશે. સવારે મુંબઈ તરફ જતી 11 તેમજ મુંબઈથી અમદાવાદ આવતી 16 ટ્રેન અને 4 મેમૂના સમયમાં 5 મિનિટથી 10 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે.તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40એ ઉપડી બપોરે 1.10એ મુંબઈ પહોંચશે. આ ટ્રેન 1 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.100 અને 2 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.250 વળતર ચૂકવવામાં આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.