રાજકોટમાં બસસ્ટેશનની પોલીસ ચોકીમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા અને ફાયરીંગ થયું, ગોળી લાગતા સ્પા સંચાલકનું મોત

ગુજરાત
ગુજરાત

રાજકોટ
            શહેરના બસસ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી. ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ દિનેશભાઇ ગોહેલને ગોળી વાગી હતી. જેને પગલે દિનેશ ગોહેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
          પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને પીએસઆઇ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે.પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરી જરૂર પડ્યે અન્ય કલમનો ઉમેરો કરાશે.
          આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માલવિયા નગર પાસે ગ્લો નામથી સ્પા ચલાવતા દિનેશ ગોહેલ આગામી ૧૭ જાન્યુઆરીના રોજ ખંઢેરી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયાની વન ડે મેચ ટિકિટ આપવા માટે પોલીસ ચોકીમાં આવ્યા હતા. આ દરમિયાન પીએસઆઇ ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી. આ ગોળી પોલીસચોકીમાં હાજર હિમાંશુભાઇની આંખની પાસેથી સોંસરવી નીકળતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. પોલીસે રાહદારીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી રિવોલ્વર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
          ઘટનાને લઇ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હિમાંશુભાઇ રાજકોટમાં અંકુર મેઇન રોડ પર આવેલી જય આશાપુરા, વૃંદાવન સોસાયટી ૨ રહેતા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.