બનાસડેરીના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી પુનઃ સત્તારૂઢ, વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ
બનાસડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડેરીનું નિયામક મંડળ બિનહરીફ થયું છે . ડેરીના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરીની બિનહરિફ વરણી કરવામાં આવી છે જયારે વાઇસ ચેરમેન પદે અમીરગઢના ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આમ બનાસડેરીના ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી પુનઃ સત્તારૂઢ થતાં તેમના સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી છે.