નિખિલ સવાણીએ ટ્વીટ કરીને કહ્યું- ભાજપ યુવા મોરચાના અધ્યક્ષનું નામ પાછું ખેંચવા પોલીસ દબાણ કરે છે
અમદાવાદ:-
ગઈકાલે પાલડી ખાતે ABVPએ કરેલા હુમલાનો ભોગ બનેલા નિખિલ સવાણી ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું હાલ હોસ્પિટલમાં છું. મારા પર થયેલા હુમલાને ૨૪ કલાક વીતી ગયા છે. પણ હજુ સુધી પોલીસે હુમલાખોરો સામે FIR નોંધી નથી. અને પોલીસ મારા પર ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું નામ પાછું ખેંચવા માટે દબાણ કરી રહી છે. પોલીસ હુમલાખોરો સામે ગુનો નહીં નોંધે તો હું અસ્વસ્થ હાલતમાં અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ પર ધરણા પર બેસીશ. તેવી નિખિલ સવાણીએ ચીમકી ઉચ્ચારી છે.