ધોરણ 9 અને 11માં 33થી ઓછા માર્ક્સ હશે તો ગ્રેસિંગ આપી પાસ કરવામાં આવશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ
શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વર્ગ બઢતીના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી વાર્ષિક પરિણામ પહેલી કસોટીના 50, બીજી કસોટીના 50 અને 20 આંતરિક મૂલ્યાંકન ગુણને ધ્યાને લઈને કુલ 120 ગુણમાંથી પરિણામ તૈયાર કરાશે. આ ત્રણેય પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણને આધારે વાર્ષિક પરીક્ષાના ગુણ અપાશે. તેમ છતાં કોઈ વિદ્યાર્થી નાપાસ થતો હશે તો તેને કૃપાગુણથી પાસ કરાશે. આ માટે આચાર્યો ગમે તેટલા કૃપા ગુણ આપી શકશે. આ વર્ષ પૂરતી આચાર્યોને વિશેષ સત્તા અપાઈ છે. ઉપરાંત ધો.11 સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હોવાથી તે વિષયનું ખાનું ખાલી રાખવા જણાવાયું છે.
અત્યાર સુધી આચાર્ય વિદ્યાર્થીને 10 કૃપા ગુણ આપી શકતા હતા, પરંતુ શિક્ષણ વિભાગે 2019-20 માટે આ મર્યાદા વધારી છે. જો વિદ્યાર્થીને પાસ થવા 33 ગુણને બદલે 13 ગુણ હોય તો પણ આચાર્ય 20 કૃપા ગુણ આપી વિદ્યાર્થીને પાસ કરી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.