ગુજરાતમાં કોરોના વાયરસનું વિકરાળ સ્વરૂપ, 29 પોઝિટીવ કેસો નોંધાતા ખળભળાટ
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસનો ભય વધી રહ્યો છે. ગુજરાતમાં તમામ લોકોને ચિંતા ઉપજાવે તેવા એક અહેવાલ મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ આંક 29 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ નોંધાતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય સુરતમાં કોરોના 4 પોઝિટિવ કેસ, 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટિવ કેસો નોંધાયા છે.રવિવારે જ્યારે સુરતના એક વૃદ્ધે કોરોના વાયરસના કારણે દમ તોડ્યા બાદ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરામાં મોડી રાત્રે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં હવે કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો 23 થયો છે. જેમ જેમ કેસ વધતાં જઈ રહ્યાં છે તેમ તેમ રાજ્યનું વહીવટી તંત્ર પણ કડક હાથે કામ લઈ રહ્યું છે.વડોદરામાં કોરોના વાયરસના 6 કેસો પોઝિટિવ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. શ્રીલંકાથી આવેલા પતિ પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેના સંપર્કમાં આવેલ 27 વર્ષીય પુત્રી અને 29 વર્ષીય પુત્રવધૂનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. 12 લોકોનું ગ્રુપ શ્રીલંકા ગયું હતું.શનિવાર સુધીમાં આ આંકડો 14 હતો. જેમાં કચ્છની મહિલાનો પણ સમાવેશ થતો હતો. જે તાજેતરમાં જ મક્કાથી પરત ફરી હતી. આ સાથે જ કચ્છ અને રાજકોટમાં એક-એક અને સુરતમાં બે નવા કેસ પોઝિટિવ નોંધાતાં સુરતમાં કોરોનાના કુલ 5 પોઝિટિવ કેસ થયાં છે. અમદાવાદમાં કોરોનાના સાત કેસ પોઝિટિવ છે. જ્યારે વડોદરા અને ગાંધીનગર આ શહેરોમાં 3-3 કેસ પોઝિટિવ આવ્યાં છે.31 માર્ચ સુધી ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. અત્રે જણાવવાનું કે વડોદરામાં ગઇકાલે થયેલ બે મૃતક દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તંત્રએ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 29 લોકોને ક્વોરન્ટાઈન કર્યાં છે.