ગુજરાતઃ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૬૯૫ પહોંચી, ૩૦ના મોત.

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગુજરાત
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૬૯૫ થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ ૪૦૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અમદાવાદમાં બેના મોત થવાને કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૩૦ પર પહોંચ્યો છે. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં ૫૬ નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૪૨ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો ૬૯૫ કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં ૧૪ વર્ષીય બાળકી અને સુરતમાં ૪૫ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.
અમદાવાદમાં કુલ ૪૦૪ કેસ નોંધાયા છે. તો વડોદરામાં ૧૧૬ કેસ, સુરતમાં ૪૮ કેસ, ભાવનગરમાં ૨૬ કેસ, રાજકોટમાં ૧૮ કેસ, ગાંધીનગરમાં ૧૬ કેસ. જ્યારે પાટણમાં ૧૪ અને ભરૂચમાં ૧૧ કેસ નોંધાયા છે.. આ તરફ આણંદમાં ૧૦ કેસ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ૫-૫ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને મહેસાણામાં ૪-૪ કેસ નોંધાયા છે. . બીજી તરફ ગીર-સોમનાથ, દાહોદ અને બનાસકાંઠામાં ૨-૨ કેસ છે. તો જામનગર, મોરબી, સાબરકાંઠા, બોટાદ અને ખેડામાં ૧-૧ કેસ નોંધાયા છે.. બોટાદ અને ખેડામાં પ્રથમ કેસ સામે આવ્યા છે.
 
અમદાવાદમાં ગઈકાલે સાંજે નોંધાયેલા કેસમાં ૧૧ કેસ ભુલથી નોંધાઈ ગયા હતા જેને પગલે કુલ કેસમાંથી ૧૧ કેસ બાદ કરી દેવાયા હતા. આજે એકલા અમદાવાદમાં જ નવા ૪૨ કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યાનો આંકડો ૪૦૪ પર પહોંચ્યો છે. અમદાવાદમાં વધુ બે દર્દીઓના મોત થતાં જ રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩૦ લોકોના મોત કોરોનાને કારણે થઈ ચુક્યા છે. અમદાવાદમાં મૃત્યુઆંક ૧૫ પર પહોંચ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.